Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

લગ્નજીવનનો રોમાંચ – મિત્રભાવ

આજે નેટ સર્ફિંગ દરમ્યાન એક વિડીયો જડી આવ્યો. જોયો.. ! અદભૂત. આમ તો આ વિડિયો એડ  માટે બનાવવામાં આવ્યો છે પરંતુ જો એને કૈક અલગ રીતે જોવામાં આવે તો મારા વિચારોમાં હું નીચે મુજબનું તારણ કાઢી શકુ.

સગપણ

વિચાર આવ્યો કે આપણા સમાજ માં મોટા ભાગની સ્ત્રીની જિંદગી આમ જ પસાર થઇ જાય છે. એના સપના વિષે, એની ઈચ્છાઓ વિષે ખરા અર્થમાં કોઈ દરકાર કરે છે ખરું? કાયમ દિલથી જીવનારી અને સંવેદનાને સાથે લઇ ને ફરનારી સ્ત્રીની ખરા અર્થમાં આજે કેટલા પતિ કાળજી રાખે છે? આખો દિવસ થાકમાં લોથ પોથ થઇ ગયેલી સ્ત્રીને પૂછવામાં પણ નથી આવતું કે આજે એનો દિવસ કેવો રહ્યો, કેવી રીતે એને દિવસ પસાર કર્યો વગેરે! સ્ત્રીને માત્ર પત્ની તરીકે જોવામાં આવે છે એટલે કદાચ આમ બનતું હશે એમ હું માનું છુ, જો પત્નીને એક મિત્ર તરીકે પણ જોવામાં આવે તો આવા સવાલ થાય જ એમાં શંકાને સ્થાન નથી. સપ્તપદીના છેલ્લા ફેરામાં લીધેલા વચનને જો પાળવામાં આવે તો કદાચા આ વિડિયોમાં દર્શાવેલ “ઘટના” (અહિયા મને આ ઘટના જ લાગે છે…એ સિવાય કઈ નહિ) દરેક પત્ની સાથે બને. પણ આપણે તો જેમ જેમ લગ્ન જીવન પસાર થતું જાય એમ એમ વાસી થયેલા, ચુંથાઈ ગયેલા ફૂલ કે જુનું થયેલા , કાટ ચઢી ગયેલા કોઈ પાત્રની જેમ આપણા લગ્નજીવનને નિહાળતા હોઈએ છીએ. દરેક સાથે આમ નહિ જ બનતું હોઈ પણ એ સત્ય હકીકત દરેકે સ્વીકારવી પડશે કે લગ્ન પહેલા લાગતી ફિઆન્સ  અને લગ્ન પછી એ જ ફિઆન્સ પર જ્યારે પત્નીનું ટેગ લાગી જાય છે, એ બે માં બહુ મોટો ફરક છે. લગ્નજીવનના રોમાંચને અનુભવવું હોઈ તો આવી

ઉપરની આ વાતને બરાબર સમજવા અને તમારોસરવાળો તમારી જાતે જ માંડવા માટે નીચેનો વિડિયો નિહાળો. નાની બાબતોનું ધ્યાન રાખવું કે એ રીતે જીવવું બહુ જરૂરી

છે, રૂટિન લાઈફ્માથી સહેજ સાઈડમાં હટીને બંનેને એકબીજા સાથે થોડો સમય એકબીજા માટે કાઢવો ઘણો આવશ્યક છે. લોકો જીવે છે એમ જ જીવવું, લોકો કહે છે એમ જ રીતે જીવાઈ એ જરૂરી નથી જ . જો દરેક પતિ ક પત્ની એકબીજાની પસંદ-નાપસંદ નો સહેજ ખ્યાલ રાખીને, કાળજી રાખીને જીવે તો સોનામાં સુગંધ ભળે એમ લગ્નજીવન હરહંમેશ સુવાસિત રહે. મારું સદનસીબ છે કે મને આવા પતિ મળ્યા છે જેની પાસેથી મને કાયમ નાની મોટી સરપ્રાઈઝ મળતી રહે છે 🙂 સરપ્રાઈઝ મળે છે એ માટે નહિ પણ એક બીજાની સમજણ દ્વારા અમે બંને એકબીજાને પામી શક્યા છે, સમજી શક્યા છે, જાણી શક્યા છે.  આ પાછળના કારણમાં મને  સતત એમ લાગ્યા કરે છે કે અમે સપ્તપદીના છેલ્લા વચનને પાળવામાં-સમજવામાં  સફળ નીવડ્યા છે. મિત્રભાવ જાગે અને એ રીતે જીવવામાં આવે તો આ ખુબા જ સરળ છે અને શક્ય છે, બાકી તો જીવવા ખાતર જીવનારાની ને કાયમ ફરિયાદી જ બનનારાઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી.

http://www.sharedots.com/you-won-t-believe-what-he-did-for-his-wife-on-valentine-s-day-109.html

SYDNEY CHRISTMAS & NEW YEAR

 

Image

ડીસેમ્બરનો મહિનો ખ્રિસ્તી પરંપરા મજબૂત થયેલા દેશેમાં ખુબ જ મહત્વનો મહિનો ગણવામાં આવે છે. પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિનો સમાવેશ થયેલા દેશમાં નાતાલ મહત્વનો તહેવાર મનાઈ છે.

અહી સિડ્નીમાં નાતાલ અને ઈસ્ટરનાં તહેવાર દરમિયાન ચર્ચમાં વિવિધ ધાર્મિક પ્રવૃતિઓનું આયોજન થતું હોય છે. કૌટુંબિક મેળાવડો અને ભેટ સોગાદોનું આદાન પ્રદાન આ તહેવારની સૌથી વધુ પ્રચલિત પરંપરાચ છે. અહી Woolworths, Coles, Aldi, IGA જેવા સુપરમાર્કેટમાં ON SALE, REDUCED, % OFF જેવા પાટિયા ઠેર ઠેર જોવા મળે છે. નાતાલની મીઠાઈ, પાઈ , કેક, વિવિધ જાતની ચોકલેટની માંગ ખુબ જ વધી જાય છે. ભેટ-સોગાદો માટે અહી MYER, TARGET, K-MART, BIG W  વગેરે જેવા સ્ટોર ડીમાન્ડમાં રહે છે.

નાતાલનો દીવસ આવતા પહેલા જ ઘરનું ખાસ સુશોભન માટેની તૈયારીઓ ચાલુ થઇ જાય છે. આ ખાસ સુશોભન પાછળ પણ લાંબો ઈતિહાસ રહેલો છે. ઘરોની સજાવટમાં ઘરની બહારના ભાગમાં રોશની, લાઈટથી સજાવેલ બરફમાં ચાલતી ગાડી, સ્નો મેન વગેરે જેવા નાતાલના પત્રોથી સજાવવાની પરંપરા છે. અહીની Government આવા સુશોભિત ઘરના માલિકો માટે એક ખાસ સ્પર્ધાનું આયોજના કરે છે, લોકો ઉત્સાહભેર ભાગ લે છે.ટોપ ૫ winners ને Prize આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઘરની સાથે સાથે નાતાલના વૃક્ષનું સુશોભનએ મૂર્તિપૂજક પરંપરાનું ખ્રીસ્તીકરણ છે. નાતાલના વૃક્ષને “ક્રિસમસ Tree” કહેવાનો રીવાજ જર્મન ભાષામાંથી કરવામા આવ્યો. કહેવાય છે કે આ શબ્દનો સૌ પ્રથામાં ઉપયોગ ૧૮૫૩માં કરાયો. આ જ રીવાજ બ્રિટનમાં જ્યોર્જ ત્રીજાની પત્ની રાણી શેરલોટ મારફતિ રજૂ થયો જે રાણી વિક્ટોરિયાનાં રાજમાં રાજકુમાર આલ્બર્ટ દ્વારા સફળ કરવામાં આવ્યો. નાતાલ દરમિયાન આ વૃક્ષો ઠેર ઠેર જોવા મળે છે. નાતાલ એટલે ભેટ- સોગાદોની આપ લે કરવાનો તહેવાર. નાતાલના દિવસે ક્રિસમસ Tree નીચે ભેટ સોગાદોનો ઢગલો હોય છે. નાના બાળકો માન્યતા મુજબ માને છે કે રાત્રે શાંતા આવ્વેને તેઓની માટે Surprise Gifts મૂકી ગયા. શરીરે અલમસ્ત, દાઢીવાળા અને આનંદી સ્વભાવના આ સાંતા નાતાલ દરમિયાન બાળકોનુ ધ્યાન કેન્દ્ર બની જાય છે.

Image

તારિખ ૨૬/૧૨/૨૦૧૩ નાં રોજ અમે Hunter Valleyની મુલાકાત લીધી. ઓસ્ટ્રેલીયાનાં NSW State માં Hunter Regionમાં આવેલા ૨૫ એકરમાં વિકસાવેલા બગીચામાં ખાસ lighting નું આયોજન કરવામાં આવે છે. ૨૬ ડીસેમ્બર કે જે Boxing Day તરીકે મનાવામાં આવે છે એ દિવસથી આ બગીચો પબ્લિક માટે ખુલ્લો મુકવામાં આવે છે. ૨૫ એકરમાં વિકસાવેલ ૧૦ જુદા જુદા બગીચાઓ નિહાળવામાં આખો દિવસ ક્યા પસાર થઇ જાય એ ખબર નથી પડતી. ૮ કી.મી.ની લાંબી પગદંડીની સાથે સાથે આખા બગીચામાં ૬ હજારથી બધું વૃક્ષો, ૧ મીલીયાના Ground Covers, ૬,૦૦,૦૦૦ નાના ફૂલ –છોડ જોવા મળે છે. Story Book Garden અહીનું ખાસ આકર્ષણ છે. આ ખાસ Lighting Show 10માના ૫ બગીચાઓમાં કરવામાં આવે છે. જુદી જુદી ૧.૫ મીલીયાના લાઈટ્સનું ડિસ્પ્લે ખરા અર્થમાં વિસ્મય પમાડે તેવું અને અદભૂત હોય છે.

 

સિડનીમાં નવા વર્ષની વધામણી ખુબા જ ધામધૂમથી કરવામાં આવે છે. સિડનીનું FIRE WORK આખા વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. Harbour Bridgeને Fire Workનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે. ૧૯૮૬ની સાલથી લઈને અત્યાર સુધી Harbour Bridge પરથી Fire Workનું આયોજન કરવામાં આવે છે. આ Fire Workની ખાસ વિશેષતા એ છે કે તે રાત્રી ૯ વાગે તેમજ ૧૨ વાગે એવા બે સમયે બતાવવામાં આવે છે. “Pyrotechnic Display”, “Water Fall Effect” તેમજ “Birthday Cake” effects એક વિશેષ આકર્ષણ ઉભું કરે છે.Image

દરેક વર્ષની જેમ જ આ વર્ષનું Fire Work પણ એની એક વિશેષતા સાથે નિહાળ્યું. દરેક વર્ષે Harbour Bridgeને અલગ effects આપવામાં આવે છે. ૨૦૧૨-૧૩મા “Embrace” (Butterfly & Lip Image) તેમજ આ વર્ષે (૨૦૧૩-૧૪) માં “SHINE”ની EYE effect આપી લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. ૧૨ Storeys ઊંચું, ૬૦ ટન વજન ધ્રાવાતાધ્રાવતી, ૧૬ કી.મી. લાંબી light rope તેમજ ૪ કી.મી. લાંબી Electrical Cable ધરાવતી આ “EYE” effectનો નજારો અદભૂત હતો. લોકોના ટોળા સવારથી જ effects નિહાળવા એકઠા થઇ જાય છે. ૨૦,૦૦,૦૦૦થી વધુ લોકો આ વર્ષનું Fire Work નિહાળ્યું. આ વર્ષે બે અલગ સમયે થતા Fire Workમાં અચાનક ત્રીજો રાઉન્ડ ૧૦.૩૦ વાગ્યે ઉમેરાતા લોકોએ અલગ રોમાંચ અનુભવ્યો હતો.

Image

છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોતી હતી એ આખરે મળી જ ગયું. અહી સિડનીમાં મારી પાસે પુસ્તકોની તંગી છે. માતૃભાષા ગુજરાતીની અહી વાત થાય છે … 🙂 અહિયા આવવાનું થયું ત્યારે મારી લાઈબ્રેરીમાંથી ઘણા પુસ્તકો લાવવાની ભાવના હતી પરતું ચાલતી પરંપરાને કોણ રોકી શકે.. લાચાર એવી હું પણ એમાંથી બાકાત ના રહી શકી અને ણા છુટકે અથાણા, છુંદા, પાપડ અને નાસ્તા જ લાવવા પડ્યા. હવે તો શિપિંગ કરાવીશ ત્યારે જ મારા પુસ્તકો મને મળશે ત્યાર સુધી આ રીતે ઓનલાઈન ચલાવવું રહ્યું. ઓનલાઈન ખાસ મજા નથી આવતી પણ ના કરતા કાના મામા સારા. ..બહુ સારા. શ્રી અરવિંદ નિવાસ , વડોદરા “અર્પણ” નામનું મેગેઝીન પકાશિત કરે છે. દર મહિને પ્રકાશિત થતા આ મેગેઝીનમાં આધ્યામિક વિકાસ તેમજ જીવન જીવવા માટે ઉપયોગી એવી ઘણી સરસ વાતો, પ્રસંગો , માતાજી સાથે થયેલ સવાલ-જવાબ, સાવિત્રીની કેટલીક કંડિકાઓ સાંકળવામાં આવે છે. ઓનલાઈન મેગેઝીન માટે શ્રી અરવિંદ આશ્રમનો દિલથી આભાર. નીચેની લિંક પર ક્લીક કરવાથી આ પત્રિકાને વાંચી શકો.

http://beta.sriaurobindoashram.org.in/php/SriAurobindoAshram/-09%20E-Library/-05%20Magazines/Arpan%20(Gujarati)/2013/-04_April/

 

Gujarati poet Shri Suresh Dalal spoke at an award programme in which young poet Ankit Trivedi was awarded Yuva Gaurav Puraskar by the Government of Gujarat.

અલૌકિક આસક્તિ

જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે તેઓ કોઇએ નહીં જાણ્યો હોય. મારા પિતા ઝીણાંમાં ઝીણાં કામ પણ પણ નોકરચાકર પાસે નહીં, પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઇતું હોય કે પગ ચાંપવાના હોય, કંઇ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ એમની આસક્તિ કંઇક અલૌકિક હતી.

તે દિવસે હંમેશની રીત પ્રમાણે હું પદ દબાવતો હતો. પગ દાબતાં દાબતાં એમ વિચાર થયા કરે કે આજે છૂટી મળી જાય તો સારું – નાટક જોવાય. કહેવા ગયો, “બાપુ…” પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત ક્યાંક ચોટેલું છે. બીજી વાર કહ્યું “બાપુ, આજે ભારે નાટક છે, ” તોયે જવાબ ના મળ્યો. પણ મને તે દિવસે એવો તો મોહ લાગ્યો હતો કે હું ચેતું શેનો ? ત્રીજી વાર કહ્યું, “આજે ભારે નાટક છે, બાપુ, જોવા જાઉં?” “જ…જાઓ.” એ શબ્દ એમના મોંમાંથી નીકળ્યા, પણ એનો અર્થ “ના જાઓ” એમ જ હતો. છતાં આપણે તો ગયા.

નાટકનો પહેલો જ પડદો ખૂલેલો હતો, અને હું તો નાટકનો ભારે રસ લેવાને તત્પર થઇ રહેલો હતો. તેવામાં ઘરેથી એક જણે આવીને ખબર આપ્યા, “બાપુ તો ઘેર રોઇને માથું કૂટે છે.” હું તરત નીકળી આવ્યો. ઘેર જઇને બાપુની માફી માગી. કંઇ પણ બોલ્યા નહીં. એક પણ કડવો શબ્દ કહ્યો નથી. પોતે જ રોઇને, માથું કૂટીને પોતાનો અણગમો બતાવ્યો.

તે દિવસથી, તેમની જિંદગીમાં તો મેં કદી નાટક નથી જોયો.

  • મો. ક. ગાંધી [ અરધી સદીની વાંચનયાત્રા : 2]

ઇશારે ઇશારે

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એનાં મોઘમ ઇશારે ઇશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું

છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સપનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે ….

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,

‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે:

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે.

  • ‘મરીઝ’

 

આ ટાઇટલ જોઇને તરત જ કોઇને નવાઇ લાગે તે સ્વાભાવિક છે. એક તાજમહેલ અને એમાં ચાર ચાર મુમતાજ?? ઇતિહાસકારોને બાદ કરતાં કોઇક જ આ વાત પર વિશ્વાસ કરે કે આ વાત સાચી હોઇ શકે પરંતુ આ હકિકત છે.

શાહજહાં અને મુમતાજના પ્રેમના પ્રેમની નિશાની એટલે તાજમહેલ. આ મશહૂર તાજમહેલમાં મુમતાજ સિવાય શાહજહાંની ત્રણ બેગમોના મકબરા છે. જે મુખ્ય મકબરા એટલે મુમતાજ મહલના મકબરાની જેમ જ મુગલ વાસ્તુકલાના શ્રેષ્ઠ નમુના છે. હાલના સમયમાં આ શ્રેષ્ઠ નમુના એ.એસ.આઇ [Archaeological Survey of India] ના કબજામા છે.

મુગલ બાદશાહ શાહજહાંએ મુમતાજના મૃત્યુ બાદ તેની યાદમાં તાજનું નિર્માણ સન 1631 થી 1653 દરમ્યાન કરાવ્યું હતું. પ્રેમની આ નિશાનીને જોવા માટે આજે લાખો લોકો દેશ-વિદેશથી લાંબા થાય છે એટલે કે જોવા માટે આવે છે, તોને આ વાતનો જરાક પણ અહેસાસ નહી, જાણ નહી હોય કે ખુબસુરત તાજમાં શાહજહાંની એક નહી…બીજી ત્રણ રાણીઓના મકબરા પણ હોય શકે છે…અને જે છે. બબ્બે વખત તાજમહેલ જોયાં બાદ મને પોતાને આ વાત આજે ખબર પડે છે, અત્યારે થાય છે કે આવા કોઇ પણ ઐતોહાસિક સ્થળની મુલાકાતે જવું હોય તો તેની પૂરેપૂરી માહિતી મેળવ્યા બાદ જ જવું જોઇએ. પાછળથી આવી રસપ્રદ વાત જાણવા મળે ત્યારે અફસોસ થાય છે કે આ રહી ગયુ….!! જે માત્ર જવા ખાતર જતા હોય તેને આ વાત લાગુ નથી પડતી.

તાજના પૂર્વીય ગેટની ડાબી બાજુ બનેલ ખંડ (વર્તમાન સમયમાં આ જગ્યા સી.આઇ.એસ.એફ [The Central Industrial Security Force ] ના કબ્જામાં છે) ની ઉપર શાહજહાંની બેગમ ઇઝુન્નિસાનો મકબરો સ્થિત છે. ઇઝુન્નિસા મુગલ બાદશાહ અકબરના નવરત્નમાં શામિલ અબ્દુલ રહીમ ખાનખાનાની પૌત્રી હતી. શાહજહાં સાથે લગ્ન કર્યા બાદ ઇઝુન્નિસાને “અકબરાવાદી મહેલ બેગમ”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. એ.એસ.આઇના કહેવાના મુજબ શાહજહાંએ તાજના નિર્માણ દરમ્યાન સન 1631 થી 1648ના સમયગાળા દરમ્યાન આ મકબરા બનાવવામાં આવ્યો હતો. મકબરામાં અકબરાવાદી મહેલ બેગમની સફેદ સંગેમરમરની કબ્ર સ્થિત છે, જેનાં પર પથ્થરના જુદાં જુદાં રંગના નાના ટુકડાથી બનાવેલ ફૂલની આકૃતિ ચિતરવામાં આવી છે, જે મુગલકાલીન કારીગરીનો બહેતર નમૂનો છે.

આ જ પૂર્વ ગેટની જમણી બાજુ બનેલ ખંડ ( વર્તમાન સમયમાં અહીં પોસ્ટ ઓફિસ બનાવેલી છે) ની ઉપર શાહજહાંની બેગમ ફતેહપૂરી મહલ બેગમનો મકબરો સ્થિત છે. આ મકબારાનું નિર્માણ સન 1639 થી 1648ના સમયગાળા દરમ્યાન થયું હતું.

આ સિવાય તાજના પૂર્વ ગેટની બહાર ગૌશાળાની સામે શાહજહાંની ત્રીજી પત્ની સરહિંદી બેગમનો મકબરો તેમજ મસ્જિદ સ્થિત છે. જે અન્ય મકબરાની જેમ્ મુગલ વાસ્તુકલાનુ એક ઉદાહરણ છે. સરહિંદી બેગમ સરહિંદ કે ગવર્નરની પુત્રી હતી અને તેના મકબરાનું નિર્માણ બાકીના મકબરા સાથે જ કરવામાં આવ્યું.

આશ્ચર્યની વાત તો એ છે એ આ મકબરા સુધી કોઇ પહોંચી નથી શકતું. દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પેમના પ્રતીકને નીહાળવા માટે આવે છે પરંતુ આ મકબરા સુધી જનાર પ્રવાસીની સંખ્યા શૂન્ય છે. કારણ એ છે કે તાજમહેલની અંદર કોઇ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ નથી કે આ વિશેની જાણકારી આપનાર પણ કોઇ નથી કે શાહજહાંની અન્ય બેગમોના મકબરા પણ આ ભવ્ય સ્મારકમાં છે.

આ ઉપરાંત એ.એસ.આઇ. એ અકબરાવાદી મહલ બેગમ તેમજ ફતેહપૂરી મહલ બેગમના મકબરા સુધી પહોંચાડતા માર્ગ પર તાળાં મારી રાખ્યા છે. અહી સી.આઇ.એસ.એફ. ના જવાન પોતાની ફરજ બજાવતાં કાયમ હાજર હોય છે. સરહિંદી બેગમનો મકબરો ખુલ્લો છે, પરંતુ સ્મારકનો એક ભાગ હોવા છતાં તે ગેટની બહાર છે, આવામાં ત્યાં કોઇ પહોંચી નથી શકતું. આ વિશે જેને જાણકારી હોય અને જેઓ આ સ્મારકોની વિઝિટ કરવા માંગતા હોય તેને તાજ સહાયકો પૂરતો સહકાર આપે છે. હજી તમારમાંથી કોઇ તાજમહેલ જોવા જઇ રહ્યાં હોય અથવા જવાનુ પ્લાનીંગ હોય તેઓ સહાયકોની મદદથી આ મકબરા સુધી પહોંચી શકે છે. So get ready for ths….:)

त्वमेव भर्ता

તું કોઇ અમેરિકન પત્નીની જેમ

મને છોડીને ચાલી તો ન ગઇ.

તેં મને

અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે

કોર્ટમાં બદનામ પણ ન કર્યો.

ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી.

માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું બોલી ગઇ:

.

.

.

“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ !”

  • વિપિન પરીખ

આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા અમદાવાદ જવા જેટલું ગાડીભાડું ખરચવાની એમની ત્રેવડ નહોતી, એટલે અનિલ પણ ત્રણ વરસમાં ફક્ત બે વાર સૌને મળવા ઘેર આવી શકેલો. ધરતીકંપ પછી બે દિવસે રત્નાલના એક પાડોશીનો સંદેશો અમદાવાદ આવેલો કે અનિલનાં માબાપ તથા દસ વરસનો ભાઇ જોગેશ ખતમ થઇ ગયાં છે. ત્રણેક વરસનો એકલો જિગર ઇજાઓ પામવા છતાં બચી ગયો છે. અનિલના કાકા રાજુભાઇ કહે છે કે, “સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સૂનમૂન બનીને આકાશમાં તાકી રહે છે ને રડતાં થાકતો નથી.”

ત્યારે દૂર દૂરના રત્નાલનાં નાનો જિગર વાચા ગુમાવી બેઠો છે. ધરતીકંપ થયો ત્યારે તેની માતા મંજુલાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતાં હતાં – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું. તેને બચાવવા દોટ મૂકનાર પતિ પણ દટાઇ ગયા. સડકની સામી બાજુ વાઘજીના બીજી એક ભાઇ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા.. ધણધણાટી સાંભળીને એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઇનનું ઉદઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે. પાછું વળીને જોયું તો ધૂળના ગોટેગોટા ચડ્યાં હતા, ને એમણે હડી કાઢી. સિમેંટના બે મોટા સ્લેબ વચ્ચે જિગરને ફસાયેલો તેમને જોયો. એના પેટ પર મોટો ઘા પડયો હતો ને એ શ્વાસ લેવા ફાંફા મારતો હતો. ભંગાર હેઠળથી એને જ્યારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે બાકીનું  કુટુંબ ખતમ થઇ ગયું છે. કાકા કહે છે, “બસ, ત્યારથી જિગર બોલતો સમૂળગો બ્ંધ થઇ ગયો છે. એ રડી પણ શકતો નથી.”

  • સૌતિક બિશ્વાસ

ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના અંધાધૂંધ ગામની ગેમેક્સીન ને ગંડવાડથી ગંધાતી, પાણીની ખાલી કોથળીઓથી છવાયેલી શેરીઓમાં બાવરાં બનીને આથડે છે અને જે કાંઇ રાહત-સામગ્રી મણે તેની ઝૂંટાઝૂંટ કરે છે, પણ આ તંબૂમાંથી નીકળીને કોઇક  નિવાસમાં જેનાબહેન જ્યારે જશે ત્યારે, અગાઉ એક છાપરા હેઠળ ટાયર-મરામત કરીને રોટલો રડનાર એમનાં ત્રણ બાળકોનો બાપ કાસમ આ બધાંનો ગુજારો કેમ કરીને કરી શકશે? “કાલનો તો હું વિચાર જ નથી કરતી,” જેનાબહેન કહે છે, “અત્યારે તો પરવરદિગારનો પાડ માનું છું  કે અમારે માથે કાંઇક છાપરું તો છે અને છોકરાં ખેતરમાં રમે છે.”

હા, કહે છે કે કાસમનો ભાઇ હાસમ, તેની બીબી નસીમ અને આ ચાર બાળકોનું સુખી કુટુંબ હતું. વાસણની ફેરી કરીને હાસમ ઘર ચલાવતો. એનો ધંધોપણ સારો ચાલતો. પોતાની બચતમાંથી 40,000 રૂ. ચૂકવીને એણે બે ઓરડીનું પાકું ધર હજી બે મહિના પર જ લીધું હતું. આઠ વરસના અસીફ ને છ વરસના નજીરને એ નોશાળે પણ મોકલતો હતો. ધરતીમાતાએ પડખું બદલ્યું તે સવારે છોકરા બેય નિશાળે ગણિતના વર્ગમાં. વર્ગના ઓરડાઓ  તૂટી પડતા જોઇને એ ત્યાંથી ભાગી છૂટેલા ને ખુલ્લી પણ થરથરતી જમીન પર લેટી પડેલા. ચાર વરસની નજમા અને બે વરસની શબનમ ઘેર મા પાસે હતી. રોજની જેમ ગામની ફેરી હાસમે હજી માંડ શરૂ કરી હતી, એક શેરીયે તેણે હજી વટાવી નહોતી. ત્યાં ફેરી કાયમ માટે પૂરી થઇ ગઇ.

અસીફ ને તેનો નાનો ભાઇ નિશાળેથી આવ્યા ત્યારે પાડોશીએ મળીને એમની માતાને ભંગાર હેઠળથી હમણાં જ કાઢેલી હતી. અસીફ તેની વાત કરે છે ને એની આંખમાં આંસુ ઊભરાય છે. “એના માથામાંથી ખૂબ લોહી નીકળતું  હતું. મેં પૂછયું કે, તને બહુ દુ:ખે છે, અમ્મા? એ માંડ માંડ બોલી કે, લૂગડાનો કટકો લાવીને ઘા પર ઢાંકી દે. બસ પછી એ બોલતી બંધ થઇ ગઇ. કોઇએ મને કહ્યું કે એ મરી ગઇ.”

તે પછી છોકરો પોતાના બાપને ગોતવા લાગ્યો. વાસણની લારી પર પડેલું એનું શરીર મળી આવ્યું, એના માથા ને ગળા ઉપર શિલાઓના ટુકડા પડેલા હતા. રાત પડે છે ને નાના નાના આંચકાઓ તંબૂને ધ્રુજાવે છે ત્યારે એ ચાર અનાથ બાળકો જેના બહેનને જકડીને વળગી પડે છે. રોજ રાતે નજમા રડ્યા કરે છે: ” મારી અમ્માને પાછી લઇ આવો! મને મારી અમ્મા આપો!”